Articles Blog

Articles logs of Gayatri Pariwar

૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે તેમજ બીજે પક્ષે પ્રેરક  આશા ના કિરણો પણ છે, સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહ્સ્ત્રદેવ્તાઓની શક્તિ થી સર્વદા અને સદા માટે તૈયાર રહે હોય છે.

૭. બચપણ થી જ રચનાત્મક  અને દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના)મગજ માં દાખલ થવા દો.

૮. ખરાબ વિચારો ભૌતિક દ્રષ્ટીએ જોતા રોગના જંતુ છે.

૯. શરીર  તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.

૧૦. સારા અને નરસા વિચારના આપણેજ વારસદારો છે. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સ્સાદ્વિચારો આપનામાં પ્રવેશ કરશે સારો માનસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે. યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાનુઓ જેવાજ ખરાબ વિચારો છે.

૧૧. જે લોકો અ જીવનમાં નિરંતર નિરાશ અને નીરઉત્સાહી રહે છે. તેઓ કસુ કરી સકતા નથી.


-સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
Writen: www.gpdabhoi.org


૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો, તે વિચારો અને આદર્શો ને દિવસરાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ મહાન કાર્ય જન્મશે.

૨. એકજ વિચારને પકડો એ એકજ વિચાર ને તમારું જીવન સર્વસ્વ બનાવો તેના વિચ્સેજ વિચાર કરો તેંજ સપના સેવો એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ  માંસપેસીઓ જ્ઞાનતંતુ તમારા સરીસનો એકે એક અવયવ એ વિચાર થી ભરપુર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરકે વિચાર ને બાજુ એ મુકો. સફળ થવાનો આજ માર્ગ છે.

૩. જો તમે પાંચ વિચારો ને પચાવ્ય હોય અને તેમને તમારા જીવન અને ચરિત્રમાં ઉતર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો.


શિવ જ્ઞાને જીવ સેવા

Posted by: Dilip in Swami Vivekanand

Tagged in: Untagged 

Dilip

હું પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતવર્ષ માં ફર્યો છું, મેં મારી સગી આંખેન  એમના અજ્ઞાન, દુર્દશા અને કંગાલિયત  જોયા છે. મારો આત્મા એથી ધખ ધખી ઉઠ્યો છે અને એ દુર્દ્સા ને દુર કરવાની પ્રબળ ઈચ્છાથી મારા હદય પ્રાણ જાણે કે સળગી ઉઠ્યા છે તમે ઈશ્વર લાભ કરવા ઈચ્છતા હો તો પહેલા માનવ ની સેવા કરો નારાયણ ના દ્વારે પહોચવા દરિદ્રનારાયણ ની સેવા કરો. ભારતના લાખો ભૂખ્યા દુખ્યા ની સેવા કરો...
-સ્વામી વિવેકાનંદા

Writen by : www.gpdabhoi.org


ઉપાસના બને પ્રાણવાન

Posted by: SysOp in ઋષિ ચિંતન

Tagged in: Untagged 

SysOp
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ઉપાસના બને પ્રાણવાન
મિત્રો ! આ૫ને હું એમ કહી રહ્યો હતો કે સાધનાથી સિદ્ધિનો આ૫નો જે ઉદ્વેશ છે, તેમાં અમારે શું કરવું જોઈએ ? તેમાં આ૫ને રમત-તમાશાથી આગળ મૂકી દઈએ. અત્યાર સુધી શું થતું રહું છે ? રમત થતી રહી છે.
હવે રમત-તમાશાની વાત છોડીને આ૫ણે એ કામ કરીએ, જેમાં વાસ્તવિકતાનું સ્વરૂ૫ બનતું હોય. તેના માટે શું કરવું ૫ડશે ? તેના માટે એક જ કામ કરી શકો છો કે આ૫ આ૫ની ઉપાસનાને પ્રાણવાન બનાવો.
પ્રાણ કોને કહે છે ? પ્રાણ એને કહે છે, જે પોતાનું કલેવર સાથે સાથે લઈને ફરે છે. પ્રાણ જે છે, તેની અંદર ઈચ્છાઓ રહે છે, હિંમત રહે છે, બહાદુરી રહે છે કે તે મનને ઘસડીને લઈ જાય, શરીરને ઘસડીને લઈ જાય, સાધનાને ઘસડીને લઈ જાય. આ રીતે જે ત્રણેયને ઘસડીને લઈ જાય, સાધનાને ઘસડીને લઈ જાય, તેને પ્રાણ કહે છે.
આ૫ની ઉપાસનાની પ્રાણપ્રતિષ્ઠા થવી જોઈએ.
આ૫ની ઉપાસનામાં પ્રાણ હોવા જોઈએ. તેના માટે આ૫ બસ, એક કામ કરી લો, ૫છી જુઓ મજા, ૫છી જુઓ ચમત્કાર. એક દિવસ સિનેમાવાળા ગાઈ રહ્યા હતા, મને બહુ સારું લાગ્યું. એ એમ કહી રહ્યા હતા, “મેરે પૈરો મેં ઘૂંઘરું બંધા દે તો ફિર મેરી ચાલ દેખ લે.” શું મતલબ છે આનો ? તેના ૫ગમાં ઘૂંઘરું નથી. જો નાચની મજા જોવી હોય તો અમારા ઘૂંઘરું ૫ણ બાજે, અમે ૫ણ વાગીએ, અમારી થીરકન ૫ણ વાગે. ૫છી આ૫ જો જો કે કઈ રીતે અમે નાચીએ છીએ અને નાચ કરીએને સૌને ખુશ કરી દઈએ છીએ આ કોણ કહી રહું હતું ? સિનેમાવાળા કહી રહ્યા હતાં.
http://rushichintan.com/

માનસિક શક્તિ વધારવા નિયમો.
માનસિક શક્તિ વધારવા માટે જે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નીચે મુજબ છે :
(૧) સૂર્યોદય ૫હેલાં વહેલી સવારે ઉઠો અને શૌચાદિ વગેરે કર્મોથી ૫રવારીને ચોખ્ખી હવામાં ફરવા જાઓ.
(ર) પેટમાં કબજિયાત થાય નહિ તેમ કરો. ભૂખ વિના ભોજન કરો નહિ. દરેક કોળિયાને બરાબર ચાવીને પેટામાં જવા દો.
(૩) ભોજન સાદું સાત્વિક, હળવુ અને પૌષ્ટિક હોવું જોઈએ. બજારુ મીઠાઈ કે પૂરી ૫કોડી વગેરે ન ખાઓ.
(૪) તમાકુ, ભાંગ જેવાં માદક દ્રવ્યોથી દૂર રહો. એ સદ્દબુદ્ધિનો નાશ કરે છે, જેથી તેમનું સેવન કદી ન કરો.
(૫) દરરોજ નિયમપૂર્વક વ્યાયામ અને પ્રાણાયામ કરો.
(૬) શરીર, વસ્ત્ર, મકાન, પુસ્તકો, ટેબલ, ખુરશી વગેરેની સ્વચ્છતા ૫ર પૂરતું ઘ્યાન આપો અને ગંદકીને દૂર રાખો.
(૭) પોતાની શક્તિ ઉ૫ર વિશ્વાસ રાખો. તમારી જાતને તુચ્છ, હલકી, મૂર્ખ કે અયોગ્ય ક્યારેય સમજો નહિ.
(૮) બધા સમયનો કોઈને કોઈ કાર્યમાં ઉ૫યોગ કરો. નકામા બેસો નહિ. હસતા રહો અને મનમાં પ્રસન્નતા રાખો.
(૯) દ્વેષ, દુરાચાર, છળ, ચોરી, ક્રોધ, કંકાસ વગેરે માનસિક ચોરોને તમારા મગજમાં ઘૂસવા જ ન દો.
૧૦) હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદ્દગુણ અને સદ્દબુદ્ધિ આપે.
Author KANTILAL KARSHALA

[‘વિદુરનીતિ’ પુસ્તકમાંથી સાભાર.]

મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. ઉત્તરા અને અભિમન્યુના લગ્ન થયા પછી વિરાટ રાજાના સભાગૃહમાં મેળાવડો હતો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘હે રાજા-મહારાજાઓ, દુર્યોધને છળકપટ કરીને પાંડવોનું રાજ્ય પડાવી લીધું. પાંડવોને તેર-તેર વર્ષો સુધી પાર વિનાનાં દુ:ખ આપ્યાં તે તમારાથી અજાણ નથી. પરંતુ હસ્તિનાપુરના રાજ્ય ઉપર પાંડવોનો વંશપરંપરાનો હક્ક છે માટે વગર તકરારે દુર્યોધને તેમનું રાજ્ય તેમને પાછું આપવું જોઈએ. અને જો સદભાવપૂર્વક પાછું ન આપે તો બંને પક્ષનું હિત સધાતું હોય એવો કોઈ માર્ગ આપણે બધા મળી વિચારી કાઢીએ તો સારું.’ ત્યારે પાંડવો, શ્રીકૃષ્ણ, બળરામ, સાત્યકી, દ્રુપદરાજા વગેરેએ વિચારી એવું નક્કી કર્યું કે – આપણે એક દૂતને હસ્તિનાપુર મોકલી સંધિનો પ્રસ્તાવ મૂકીએ. પછી દ્રુપદરાજાએ પોતાના વૃદ્ધ ચતુર પુરોહિતને મોકલી સંધિના બધી પ્રકારના પ્રયત્નો કરવા કહ્યું.

દ્રુપદરાજાનો પુરોહિત દૂત બનીને હસ્તિનાપુર આવી પહોંચ્યો. તેણે આવીને જોયું તો દુર્યોધને મોટું લશ્કર ભેગું કર્યું હતું. પુરોહિતે બંને પક્ષ વચ્ચે સંધિ સધાય તે માટે ખૂબ પ્રયત્ન કરી જોયો પણ તેથી કાંઈ વળ્યું નહિ. ત્યારે ધૃતરાષ્ટ્રે પુરોહિતને કહ્યું કે – તમે પાંડવો પાસે જાઓ હું સંધિ કરવા માટે તમારી પાછળ સંજયને મોકલું છું. પુરોહિત પાછો ફર્યો. ધૃતરાષ્ટ્રે સંજયને દૂત બનાવીને મોકલ્યો. પાંડવો પાસે આવી સંજયે કહ્યું : ‘તમે આ રાજ્ય લેવાનું માંડીવાળો, યુદ્ધનો વિચાર પણ છોડી દો. તમે તો સદા ધર્મમાં મતિ રાખનારા છો, તમારા માટે તો ભોગતૃષ્ણા નહિ પરંતુ ક્ષમા જ ભૂષણરૂપ છે. રાજ્ય માટે સંબંધીઓ સાથે યુદ્ધ કરવાનું તમને શોભે નહિ…’ વગેરે વચનો કહ્યાં. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : ‘અમે અમારું પૈતૃક રાજ્ય નથી માગતા પરંતુ ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય આપે તો બસ છે. નહિ તો અમારે રાજ્ય માટે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. યુદ્ધથી વિમુખ થવું એ તો ક્ષત્રિયની કાયરતા કહેવાય અને આ તો વળી ધર્મયુદ્ધ છે. મારું હૃદય તો યુદ્ધની ના પાડે છે છતાંયે ધર્મના રક્ષણ માટે આ કરવું પડે છે. આ બધું સાંભળી છેવટે સંજય ત્યાંથી પાછો ફર્યો. હસ્તિનાપુર આવી બધા જ સમાચાર ધૃતરાષ્ટ્રને કહ્યા અને સંજયે હવે ઘેર જવાની રજા માગી અને ધૃતરાષ્ટ્ર પાસે વિદાય લીધી.


વિવેક વિચાર – સંકલિત

Posted by: SysOp in Saint Sermon

Tagged in: Untagged 

SysOp

એ નક્કી કોણ કરશે ? – વિનોબા ભાવે

કેટલાક લોકો વૈરાગ્યપૂર્ણ જીવન વિતાવે છે અને આત્મામાં વધુ રત રહે છે. એમને પણ તરસ તો લાગે છે. તે વખતે પાણી મળે, તો જ એમને સમાધાન થાય છે; પાણી ન મળે ત્યાં સુધી અજંપો રહે છે. બીજી બાજુ, જેઓ દેહના સુખ તરફ વધારે ઝૂકે છે, એમના જીવનમાંયે ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે બહારની વસ્તુઓથી એમને તૃપ્તિ થતી નથી; એમને અંતરના સમાધાનની ભૂખનો અનુભવ થાય છે. તેથી દેહ અને આત્મા બંનેનું સમાધાન થવું જોઈએ. આ માટે વિજ્ઞાન અને આત્મજ્ઞાનનો વિકાસ સાથે સાથે ચાલવો જોઈએ.

પ્રાચીન જમાનામાં આપણે ત્યાં આધ્યાત્મિક તૃષ્ણા વધારે હતી, એટલે આત્મજ્ઞાનની ખોજ અહીં વધારે થઈ શકી. પશ્ચિમના દેશોમાં છેલ્લાં ત્રણસો વરસમાં વિજ્ઞાનનો વધુ વિકાસ થયો. પહેલાં ક્યારેય નહોતો થયો એટલો સુખવિસ્તાર વિજ્ઞાને આજે કરી દીધો છે. પણ પહેલાં કરતાં સમાધાન વધ્યું છે એમ કહી શકાતું નથી. તેથી માણસનો વિકાસ એકાંગી થઈ રહ્યો છે. મારો જો એક જ હાથ મોટો થયો, તો હું એમ નહીં કહી શકું કે હું સુખી છું. બલ્કે એમ કહેવું પડશે કે મારો વિકૃત વિકાસ થઈ રહ્યો છે, ને પરિણામે હું દુ:ખી છું. આજે આપણે શરીર તરફ વધારે ધ્યાન આપીએ છીએ ને આત્મા તરફ ઓછું. એટલે માનવીય ગુણોનો વિકાસ નથી થઈ રહ્યો, અને માણસ દુ:ખી છે.


[‘ગીતા પ્રવચનો’ માંથી]

સારગ્રાહી દષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારું થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડ્યા કરે છે. ‘કેવળ દેહરૂપ હું છું’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાંયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાતદહાડો કરવામાં આવે છે.

છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરું !’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તોયે તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે.


દિવાળી સાથે બે-ત્રણ યાદ મારા મનમાં સંકળાઈ ગઈ છે. એક છે, એકદમ બાળપણની. મારું બાળપણ કોંકણના પહાડોથી ઘેરાયેલા એક નાનકડા ગામમાં વીત્યું. મને યાદ આવે છે કે તે ગામમાં અમે લોકો દિવાળીમાં દીવા કેવી રીતે પ્રગટાવતા. તે માટે જંગલમાં જઈને કોરાંટીનાં ગોળ ફળ વીણી લાવતા અને તેને વચ્ચેથી કાપીને અંદરનો માવો કાઢી નાખતા, એટલે સુંદર દીવી બની જતી. તેમાં દિવેટ મૂકતા અને કોંકણનું શુદ્ધ સ્વદેશી નારિયેળનું તેલ ભરી દેતા. કોંકણમાં રૂ નહોતું મળતું, પણ દેવ-કપાસથી અમારું કામ ચાલી જતું. આ રીતે અમારા દીપક તૈયાર થયા. પછી તેમને ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળાકાર વગેરે સુંદર આકારોમાં ગોઠવી દેતા. બસ, થઈ ગઈ અમારી દિવાળી !

દિવાળી એટલે ચાર મહિના ચોમાસા પછીની પહેલી નિરભ્ર અમાવાસ્યા. પોતાના દિવ્ય વૈભવ સાથે પૂર્ણ પ્રગટ થયેલી રજનીદેવી. ચંદ્રના સામ્રાજ્યને દૂર કરીને પરસ્પર સહકારથી સૌંદર્ય નિર્માણ કરતી નાની-મોટી સ્વાયત્ત તારિકાઓ અને એમની રચાતી ભાતભાતની આકૃતિઓ. આપણે લોકોએ જો આપણાં મન પણ આ દીપકોથી સજાવ્યાં હોત, તો આપણું સ્વરાજ્ય હજી વધુ રંગત લાવત. જો કે આ કલ્પના તે વખતે બાળપણમાં નહોતી સૂઝી. જરા મોટો થયો, ત્યારે ક્યારેક કવિતાઓ લખતો. તેમાંની એક કવિતા યાદ આવે છે. કવિતા મરાઠીમાં હતી. તેનો અર્થ એવો હતો કે ‘હે પ્રભુ, મને પૂર્ણિમાની ઝાકઝમાળ નથી જોઈતી, મને તો અમાવાસ્યાની રાત્રિની સ્વતંત્રતા જોઈએ છે. અમાવાસ્યાની રાતે એક-એકથી ચઢિયાતી તારિકાઓ હોય છે. જ્યોતિષવેત્તાઓ જાણે છે કે એક-એક તારિકા કેટલી મોટી હોય છે ! જે તારિકાઓ આપણને નાની દેખાય છે, તે મોટી દેખાતી તારિકાઓ કરતાંયે મોટી હોય છે. આ બધી તારિકાઓ આકાશને શણગારે છે, અને દરેકની પોતાની સ્વતંત્રતા હોય છે. ચંદ્રમાના રાજ્યમાં આ દર્શન નથી થઈ શકતું. માટે હે પ્રભુ, મને તો અમાસની રાત જ જોઈએ !’ આવી એક કવિતા મેં લખી હતી.

આને મેં પાછળથી ગણસેવકત્વનો આદર્શ કહ્યો છે. ગમે તેવો મહાપુરુષ હોય, પણ તેનું અનેકોમાં એક હોવું, એ મોટી ખૂબી છે. વર્ડઝવર્થ અંગ્રેજીનો એક મહાન કવિ. એની એક નાનકડી કવિતા છે. તેમાં એણે કહ્યું છે, મારું સ્મારક કેવું બનાવવું. તો કે’ રોજ હું એક ટીલા પર જતો. ત્યાં અનેક પથ્થરો પડ્યા છે. તેમાંથી ઘણા બધા સારા સારા પથ્થરો શોધીને લોકો લઈ ગયા છે અને તેમના પર જાતજાતની કારીગરી કરી છે. પણ મેં જોયું કે ત્યાં એક પથ્થર એવો પડ્યો છે, જે કારીગરી માટે ઉપયોગી નહોતો, એટલે ત્યાં જ પડ્યો છે. તેની તરફ કોઈનું ધ્યાન નથી ગયું. તે પથ્થર મારા સ્મારક તરીકે પસંદ કરાય અને તેના ઉપર લખવામાં આવે – One of Many (ઘણાઓમાંનો એક). આવી આકાંક્ષા હતી, વર્ડઝવર્થની. અનેકોમાંના એક રહેવું, તેમાં જ આનંદ છે. એટલે જ મારી કવિતામાં મેં બીજાઓને ઢાંકી દેતી ચંદ્રમાની પૂર્ણિમાને બદલે બધા તારલાઓને સ્વતંત્રપણે પ્રકાશવાનો અવકાશ આપતી અમાસની રાત પસંદ કરી હતી.


સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં – સહુની સમાન ચિંતા અને સહુ માટે સમાન પ્રેમ. જેમ માનો પોતાનાં બધાં સંતાનો પર સમાન પ્રેમ રહે છે, તેમ સમાન પ્રેમથી સમરસ સમાજ-રચના કરવી. આમ ન થવાથી જ સમાજમાં ગરીબ-તવંગર, મજૂર-માલિક વગેરે અનેકાનેક ભેદ ઊભા થયા છે. આ બધા ભેદોને નાબૂદ કરીને સમાજમાં સમરસતા લાવવી, એમાં જ માણસની ચતુરાઈ છે. હવે, કેટલાક લોકો કહે છે કે આવી સમાજરચના કરવા બેસશો, તો પછી માણસને કામ કરવાનો ઉત્સાહ ઓછો થઈ જશે. વધારે પુરુષાર્થ કરીશું તો વધારે સંપત્તિ મળશે, એવી આશા હોય, તો જ માણસ વધારે મહેનત કરશે. પણ આ સાચું નથી. ઘરમાં બાપ વધારે કામ કરે છે, તે શું એટલા જ વાસ્તે કે પોતાને વધારે મળશે ? ઘરમાં બધા માણસો પ્રેમથી બધાનો સમાન હક માને છે. પરિવારમાં એવું નથી હોતું કે જે જેટલું કમાતો હશે, એટલું જ એને ખાવા મળશે. ઓછું-વત્તું કમાવા છતાં સહુને ખાવા-પીવાનું સમાન મેળવવાનો હક છે, એવું પરિવારમાં સ્વીકારાયેલું છે. અને છતાં તેને લીધે કાંઈ કોઈનો કામ કરવાનો ઉત્સાહ મંદ પડતો નથી.

તો જેવું પરિવારમાં, એવું જ સમાજમાંયે હોવું જોઈએ. માણસો તો કોઈક વધારે શક્તિશાળી તો કોઈક ઓછા શક્તિશાળી, કોઈક વધારે બુદ્ધિશાળી તો કોઈક ઓછા બુદ્ધિશાળી, કોઈક વધારે કાર્યક્ષમ તો કોઈક ઓછા કાર્યક્ષમ, એવું રહેવાનું. બધા એક સરખો પરિશ્રમ પણ નહીં કરી શકવાના. ઉપરાંત, પરિશ્રમમાંયે શારીરિક ને બૌદ્ધિક પરિશ્રમ, એવો ભેદ રહેવાનો. પછી શારીરિક પરિશ્રમાંયે કોઈક સાધારણ તો કોઈક કુશળ, એવું રહેવાનું. પરંતુ આવા બધા ભેદો છતાં જો કોઈ માણસ આળસ કર્યા વિના સચ્ચાઈથી, પોતાની શક્તિ અનુસાર કોઈ પણ જાતનું લોકોપયોગી કામ કરતો હોય, તો તેને પોતાનો જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છે. આ વાત સમાજમાં નિર્વિવાદપણે પ્રસ્થાપિત થઈ જવી જોઈએ.

આમ છતાં, હજીયે કેટલાક એમ કહે છે કે પરિવારની વાત અલગ છે, પણ સમાજમાં તો વધારે કમાઈશ તો વધારે ભોગવીશ, એમ હોય તો જ માણસ પુરુષાર્થ વધારે કરશે. પરંતુ હું આ માનવા તૈયાર નથી. એટલું જ નહીં, આને હું અત્યંત અધાર્મિક, અમાનવીય વિચાર માનું છું. ઠીક છે, આજે સમાજમાં આવું ચાલે છે. પણ એમ તો સમાજમાં આવી તો બીજી કેટલીયે બુરાઈઓ નથી ચાલતી ? આપણે સમાજમાંથી આવી બધી બુરાઈઓ, આવા બધા ખોટા ખ્યાલો દૂર કરવાના છે. હું એમ કહેવા માગું છું કે આ ખોટા ને અમાનવીય વિચારથી કર્મની નહીં, સંગ્રહની પ્રેરણાને પ્રોત્સાહન મળે છે તેને પરિણામે આળસ વધે છે, જેને લીધે આખરે કર્મ-પ્રેરણા ક્ષીણ થાય છે. માટે સહુને સમાન જીવન-નિર્વાહની ખાતરી મળવાથી કર્મ-પ્રેરણા ઓછી થશે, એમ માનવું એ નર્યો વહેમ છે. આજના આ પૂંજીવાદી સમાજમાં આવા તો કેટલાયે ભ્રમ ઘર ઘાલી ગયા છે ! જ્યાં સુધી આવા બધા ભ્રમોમાંથી મુક્તિ નહીં મેળવીએ, ત્યાં સુધી માણસને સાચી આઝાદીનો, સાચાં સુખ-શાંતિનો અનુભવ જ નહીં થઈ શકે.